top of page
Search

બરોડાના શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે લંગર અને સુવિધા કરાય છે

  • ssoni43
  • Jul 25, 2025
  • 1 min read

મુંબઇ

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથની મુશ્કેલ યાત્રા કરનારા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે, ગુજરાતના વડોદરામાં સ્થિત મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી અમરનાથ યાત્રાના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે ચંદનવાડી, બાલતાલ અને બબલટોપ પર સતત લંગર સેવા ચલાવી રહ્યું છે.

ચંદનવાડીમાં, ગુજરાતી યાત્રાળુઓને કેસર દૂધ અને ભોજન તેમજ ચા અને નાસ્તોની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટના મહેશ પંચાલ અને રવિન્દ્ર નાયકના નેતૃત્વમાં ચંદનવાડી ભંડારા ચલાવવામાં આવી રહી છે.

મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ બાલતાલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ ભંડારા ચલાવે છે. જેનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ મિલિંદ વૈદ અને ગીતેશ પટેલ (અંબુભાઈ) દ્વારા કરવામાં આવે છે. બાલતાલમાં ગુજરાતી યાત્રાળુઓ માટે ચા, નાસ્તો અને ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

બબલટોપમાં પણ, મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ યાત્રાળુઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરે છે. બબલટોપ ભંડારનું સંચાલન દિલ્હીના મહાદેવ સેવાદાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉત્પલજી કરી રહ્યા છે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page