top of page
Search

મીરારોડ હવેલીમાં સવારે ગોવર્ધન પુજા કરવામાં આવી હતી અનેં સાંજે શ્રીજીને વિવિધ પ્રકારના ભોગ ધરવામાં આવ્યા

  • ssoni43
  • Nov 22, 2025
  • 1 min read



સતીષ સોની મીરારોડ

શુક્રવાર ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ બેસતા મહિને મીરારોડ હવેલીમાં સવારે ગોવર્ધન પુજા કરવામાં આવી હતી અનેં સાંજે શ્રીજીને વિવિધ પ્રકારના ભોગ ધરવામાં આવ્યા આ અન્નકોટ મહોત્સવના દર્શન કરવા વૈષ્ણવ ભાવિકોની ભારે ભીડ હતી. અન્નકોટના દર્શન કરવાનો લાભ મળ્યો તેમ જ વૈષ્ણવચાર્ય પરમપુજ્ય ગોપાલક ૧૦૮ દ્રુમિલબાવા ના આશીર્વાદ સાથે ધાર્મિક ચર્ચા કરવાનો લાભ પણ પ્રાપ્ત થયો.

આવતીકાલે રવિવારે ૨૩ નવેમ્બર અહીં બ્રહ્મસંબંધ પણ આપવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં બરોડામાં વૈષ્ણવોનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવાનુ હોવાની માહિતી આપી હતી આ સંમેલનમાં દેશવીદેશથી હજજારોની સંખ્યામાં વૈષ્ણવ ભક્તો દર્શન અનેં ધાર્મિક સભાનો લાભ લેશે. અહીં સેવા આપતાં નીતિનભાઈનો સહયોગ પણ મળ્યો

જયશ્રીકૃષ્ણ 🙏

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page