top of page
Search

આમિરખાન ટોકીજ જનતા કા થીએટર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર શરૂ થશે ૧૦૦ રૂપિયામાં એક ફિલ્મ જોવા મળશે સિતારે ઝમી પર પહેલી ફિલ્મ બની

  • ssoni43
  • Jul 29, 2025
  • 1 min read

સતીષ સોની મુંબઈ

લોકપ્રિય ફિલ્મકલાકાર દિગદર્શક આમિરખાનની સિતારે ઝમી પર પહેલી ઓગસ્ટથી યુ ટ્યૂબ પર ૧૦૦ રૂપિયામાં જોવા મળશે. ત્યારબાદ આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ એક પછી એક ફિલ્મો રજૂ કરવામાં આવશે. આમિરખાન અને યૂટ્યૂબ પર આ માટે જોડાણ કરવામાં આવ્યું છે.

યુટ્યૂબ પર રોજના ૫૫ કરોડ દર્શક હોવાનું આમિર અને યૂટ્યૂબના ગુંજન દ્વારા જણાવાયું હતું.

આમિરખાનની આમિરખાન ટોકીજ જનતા કી થીએટર યૂટ્યૂબ પર શરૂ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે આમિરખાન પ્રોડક્શનની તમામ ફિલ્મો ફિલ્મદીઠ ફક્ત ૧૦૦ રૂપિયામાં જોવા મળશે. વિડિઓ ઓન ડિમાન્ડ જોવા મળશે તેમ જ સત્યમેવ જયતે ફ્રી.

આ ઉપરાંત નવા કલાકરોને પણ જો તેઓ ટેલેન્ટેડ અને યોગ્ય હશે તો તેમને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને ત્યાર બાદ તેમની ફિલ્મ પૂરતો જેમ નફો થશે તો પાર્ટનર કરાશે.

કોરોના પછી થીએટરમાં મોંઘી ટિકિટને કારણે પ્રેક્ષકો ઓછા થયા છે અને ઓટીટી અથવા અન્ય પ્લેટફોર્મ પર આમિરને જવાની ઈચ્છા નહોતી આથી વિશાળ પ્રેક્ષક્વર્ગ ને ધ્યાનમાં રાખી આમીરે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

જો કે કોઈ પણ ફિલ્મ શરૂ કરાયા બાદ ૪૮ કલાકમાં ફિલ્મ જોવાનું પૂરું કરવું પડશે. એક મહિના પૂરતી ફિલ્મ રહેશે.

આમિરખાન ની ફિલ્મો ભારતમાં ૧૦૦ રૂપિયામાં જયારે અન્ય દેશોમાં જે તે દેશની કરન્સીના આધારે ફી લેવામાં આવશે હાલમાં ૩૮૮ દેશમાં યૂટ્યૂબ પર આ યોજના લાગુ કરાશે તેમ જ આમીરે અન્ય પ્રોડક્શનમાં કસમ કર્યું છે તે પ્રોડ્યૂસરની ઈચ્છા હશે તો તે ફિલ્મો પણ દર્શાવી શકશે

 
 
 

Recent Posts

See All
"સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક ફૂડ આવશ્યક છે" - સંગ્રામ સિંહે મુંબઈમાં 'ગીર વેજીસ' લોન્ચ કર્યું

ભેળસેળયુક્ત ખાદ્ય ઉત્પાદનો અને રાસાયણિક જંતુનાશકોના વધતા ઉપયોગની જાહેર આરોગ્ય પર થઈ રહેલી ગંભીર અસરને ધ્યાનમાં રાખીને, ગુજરાતના ખેડૂત-ઉદ્યોગસાહસિક શૈલેષ જરિયાએ મુંબઈમાં પોતાનું ઓર્ગેનિક બ્રાન્ડ 'ગીર વ

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page