top of page
Search

*પશ્ચિમ રેલ્વેના ૧૪ કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

  • ssoni43
  • Jun 17, 2025
  • 1 min read

મુંબઇ

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રાએ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૪ કર્મચારીઓને તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કર્યા, જેમના યોગદાનથી સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું. આ કર્મચારીઓ મે ૨૦૨૫ દરમિયાન ફરજ પર સતર્ક રહીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવામાં સફળ રહ્યા. આ ૧૪ કર્મચારીઓમાં વડોદરા ડિવિઝનના ૪, ભાવનગર ડિવિઝનના ૩, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને રતલામ ડિવિઝનના ૨-૨ અને રાજકોટ ડિવિઝનનો ૧ નો સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, જનરલ મેનેજર શ્રી મિશ્રાએ એવોર્ડ વિજેતા કર્મચારીઓની સતર્કતાની પ્રશંસા કરી અને કહ્યું કે આ બધા કર્મચારીઓ તેમના કાર્ય પ્રત્યે સમર્પિત રહીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ કર્મચારીઓએ રેલ અને પાટા પર ફ્રેક્ચર શોધવા, ચાલતી ટ્રેનમાં બ્રેક બાઈન્ડિંગ અથવા લટકતી વસ્તુઓ ઓળખવા, ઈમરજન્સી બ્રેક લગાવીને અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા, કોચ અને વ્હીલ્સમાં ઉત્પન્ન થતા ધુમાડાને શોધવા અને માનવ જીવન બચાવવા વગેરે જેવા સલામતીના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપીને ટ્રેનોનું સલામત સંચાલન સુનિશ્ચિત કર્યું છે.

પશ્ચિમ રેલ્વેને આ બધા કર્મચારીઓ પર ગર્વ છે જેમણે તેમની તાત્કાલિક કાર્યવાહી અને સતર્કતા દ્વારા સમયસર કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવામાં મદદ કરી.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page